Advertisement
Author: નોબત સમાચાર

ભારતના આર્યસમાજો દ્વારા સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતાને સમર્થન

જામનગર તા. ૧૩ઃ ભારતના કાયદાપંચ દ્વારા અપાયેલ જાહેર સૂચના સંદર્ભમાં સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતા (યુનફોર્મ સિવિલ કોડ) ના અમલ માટે વિશ્વના સમગ્ર આર્યસમાજોનું પ્રતિનિધિત્વ કરતી સર્વાદેશીક આર્ય પ્રતિનિધિ સભા દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.

ભારત લોકશાહી પ્રણાલી સંચાલિત દેશ છે. બંધારણે અહીં તમામને સમાન અધિકારો આપ્યા છે. આથી સમાન નાગરિક સંહિતાનું આવરણ પૂરૃં પાડવાની જવાબદારી સરકારની છે.

એક જ દેશના નાગરિકોને જુદી-જુદી ન્યાયિક પ્રણાલી લાગુ પડે છે. જાતિ, લીંગ, પ્રદેશ, શિક્ષિત, અશિક્ષિત, ભાષા, આસ્થા, ધર્મના નામે સદીઓથી વિવિધ ધાર્મિક સંપ્રદાયને ધ્વંશ સર્જાયેલ સામાજિક અસમતુલન દરેક દૃષ્ટિથી ઘાતક સાબિત થઈ રહ્યું છે. જ્યારે ફોજદારી કાયદા બધા માટે સમાન છે તો પછી સમાન નાગરિક કાયદા પણ હોવા જોઈએ.

પ્રાચિન ભારતીય વૈદિક સંસ્કૃતિ કે જેના માટે આર્યસમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીએ દેશના પોષણ અને સંગઠન તથા રાષ્ટ્રના પુનઃરોચ્ચાર માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તે સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદ આજે વિખેરાઈ રહ્યો છે. આજે ધર્મ અને જાતિના નામે ચાલી રહેલા ષડયંત્રોને રોકવા માટે દેશભરમાં સમાન નાગરિક સંહિતાનો અમલ જરૃરી છે. જેનો શક્ય તેટલો વહેલો અમલ થવો જોઈએ. તેમ ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી દિપકભાઈ ઠક્કરએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh