Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાવાઝોડા પછી પીજીવીસીએલ દ્વારા વીજ પુનઃ સ્થાપન
ખંભાળીયા તા. ૧૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુન માસમાં આવેલા બિપોરજોય વાવાઝોડાથી ખંભાળીયા તથા ભાણવડ વિસ્તારમાં વીજ તંત્રને વ્યાપક નુકસાન થયું હતું. જો કે વીજતંત્રના આગોતરા આયોજનથી ખંભાળીયા-ભાણવડ વિસ્તારના ૯૬૦૦૦ જોડાણો શહેર તથા ગામડાના ફીડરોના હતા તે બીજા દિવસથી જ ક્રમશઃ ચાલુ કરવામાં આવ્યા હતાં તથા બે દિવસમાં શહેરી વિસ્તારમાં વીજ ૫ુરવઠો ચાલુ થઈ ગયો હતો. જ્યારે ગ્રામ્ય પંથકમાં પાણી ભરાયેલા હોય, ગારો-કીચડ હોય થાંભલા મોટી સંખ્યામાં પડી ગયા હતાં તેમજ બેવડા વડી જવાની સ્થિતિ હોય તંત્ર દ્વારા બહારથી આવેલી ટીમને સાથે રાખીને રાત-દિવસ કામગીરી કરવામાં આવી હતી.
છેલ્લા ત્રણ દિવસથી ખંભાળીયા ડિવિઝનના ૮૨ ખેતીવાડીના વીજ ફીડરો સંપૂર્ણ કાર્યરત થઈ ગયા છે તથા કુલ ૩૪ હજાર જેટલા ખેતીવાડી વીજ જોડાણમાંથી ૩૩,૦૦૦ જેટલા જોડાણો ચાલુ થઈ ગયા છે. ક્યાંક ગંભીર ક્ષતિ તથા પાણી ભરાવાથી ના પહોંચાય તેવા કુલ કનેક્શનના ૦.૪ ટકા જેટલા ૧૫૦ થી ૨૦૦ જોડાણો બાકી છે જે થોડા સમયમાં થઈ જશે.
ખંભાળીયા પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેરએ એક મુલાકાતમાં જણાવેલ કે ખંભાળીયા ડિવિઝનના ખંભાળીયા-ભાણવડમાં ૫૫૦૦ જેટલા થાંભલા પડી જવા-તૂટી જવા તથા બેવડા વળી જવાના કિસ્સામાં બદલાવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial