Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કરવેરા સલાહકારો તથા જીએસટીના અધિકારીઓ સાથે યોજાઈ શુભેચ્છા બેઠક
જામનગર તા. ૧૪ઃ તા. ૧ લી જુલાઈએ ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)ના કાયદાને છ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે જામનગરના કોમર્શિયલ ટેકસ પ્રેકટીશ્નર્સ એસોસિએશન દ્વારા એસો.ના સભ્યો, કરવેરા, સલાહકારો તથા જીએસટી વિભાગના અધિકારીઓ સાથે શુભેચ્છા બેઠક યોજી ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે આસી. કમિશનર સેન્ટ્રલ જી.એસ.ટી રાજેન્દ્રસિંહ જાડેજા સ્ટેટ જીએસટીના આસી. કમિશનર ધર્મેન્દ્રભાઈ પારખીયા, અંકિતાબેન ચેતરીયા, આશિષકુમાર વળવાઈ, હિતેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતાં.
એસો.ના પ્રમુખ અક્ષતભાઈ વ્યાસે સ્વાગત પ્રવચન કરી બેઠકનો ઉદ્દેશ્ય રજુ કર્યો હતો. અને એસો.ની. પ્રવૃત્તિઓ જણાવી હતી. ઉપસ્થિત અધિકારીઓનું એસો. ના કર્ણીકભાઈ કોઠારી, અમિતભાઈ પરમાર, વિમલભાઈ ધાડીયા, ચિંતનભાઈ કાનાણી, ધનજીભાઈ નકુમે પુષ્પ ગુચ્છથી સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં જી.એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. એસો. ના પંકજભાઈ વાધર, પ્રકાશભાઈ ઝવેરી, પ્રફુલભાઈ મણીયાર, નિરવભાઈ વડોદરીયા, દિપકભાઈ ભટ્ટે મહાનુભાવોનું મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. રવિન્દ્ર માણેકે આભાર દર્શન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial