Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂતોને ઓછું નુકસાન થાય તે પ્રકારે કરવું પડશે કામઃ
જામનગર તા.૧૪ ઃ લાલપુરના ડબાસંગ ગામના બે ખેડૂતે પોતાના ખેતરમાં ખોડવામાં આવી રહેલા થાંભલા અંગે જે તે કંપની દ્વારા મંગાયેલી મંજુરી સામે વાંધા લીધા હતા. તે પછી જિલ્લા મેજી.એ ખેડૂતોને ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે કામ કરવા અને કાયદા મુજબનું વળતર ચૂકવી આપવા તે કંપનીને હુકમ કર્યાે છે.
લાલપુર તાલુકાના ડબાસંગ ગામની ખેતીની કેટલીક જમીનોમાં ટાવર નાખવા માટે પાવરગ્રીડ કોર્પોરેટશન ઓફ ઈન્ડિયા દ્વારા જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મંજૂરી માગતી અરજી કરાઈ હતી. તે અરજી સામે એક જમીનના માલિક બિજલભાઈ રાયચંદભાઈ, જયંતિલાલ ઝવેરચંદ શાહ દ્વારા રજૂઆત કરાઈ હતી.
પાવરગ્રીડ દ્વારા ૪૦૦ કેવીના પાવર વહન માટે નાખવામાં આવતી આ લાઈન અંગે ઝડપથી કામગીરી કરવામાં આવે છે. જેમાં થાંભલા ખોડવાની પ્રક્રિયામાં ખેડૂતોને ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે કામગીરી કરવા અને જેટલા ખેતરના શેઢા પર આવી શકે તેટલા થાંભલા શેઢા પર જ ખોડવા અને જે ખેડૂતોને નુકસાન થાય તેઓને કાયદા મુજબનું પૂરેપૂરુ વળતર ચૂકવવા અને ખોદવામાં આવેલા ખાડા કામ પૂર્ણ થયા પછી પૂરી દેવા પણ હુકમ કરાયો છે. અરજદાર બિજલભાઈ તથા જયંતિલાલ શાહ તરફથી વકીલ હીરેન એમ. ગુઢકા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial