Advertisement
Author: નોબત સમાચાર

નવ લાખના ચેક પરતના કેસમાં નગરના આસામીને બે વર્ષની કેદ

મકાનના ફોક થયેલા સોદાનો અપાયો હતો ચેકઃ

જામનગર તા.૧૪ ઃ જામનગરના એક આસામીએ મકાનનો કરેલો સોદો ફોક થતાં મકાન માલિકે ચૂકવાયેલી રકમ સામે ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરી હતી. અદાલતે આરોપીને બે વર્ષની કેદની સજા ફટકારી છે. જામનગરના શંકરટેકરીમાં આવેલા નિતેશ હરીભાઈ રાઠોડના મકાનને ખરીદવા માટે રૃા.૯ લાખમાં અમિત ખીમજીભાઈ ચાવડાએ સોદો કર્યા પછી તે મકાનનો કબજો નિતેશ ત્રણ મહિનામાં આપશે તેમ નક્કી થયું હતું.

તે પછી મકાનનો કબજો નિતેશે નહીં સોંપતા સોદો રદ્દ થયો હતો અને રૃા.૯ લાખ પરત ચૂકવવાના હતા. તે રકમ માટે નિતેશે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા અમિતે અદાલતમાં ફરિયાદ કરી હતી.

ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આરોપી નિતેશ હરીભાઈ રાઠોડને તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા અને દંડનો હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ધર્મેશ મકવાણા, સન્નીસિંગ સાંગેવાલ, રાઘવ સીંઘવ, રાજીવ વાઘેલા, પ્રદીપ મકવાણા, મોહસીન ખારા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh