Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયાના તારાણામાંથી ઝડપાઈ હતી ૧૧૨ બોટલઃ
જામનગર તા.૧૪ ઃ જોડિયાના તારાણા ગામમાં આવેલી એક હોટલમાંથી પોલીસે આયુર્વેદિક પીણાંના નામે વેચાતી ૧૧૨ બોટલ કબજે કરી લેબ.માં મોકલતા તેમાં ઝેરી રસાયણ હોવાનું ખૂલ્યું હતું. આ કેસમાં વડોદરાની એક કંપનીના પ્રોપરાઈટરે આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.
જોડિયા તાલુકાના તારાણા ગામમાં આવેલી ગોકુલ હોટલમાં પોલીસે દરોડો પાડી હાલ્કોહોલિક હર્બી ડ્રીંક્સની ૧૧૨ બોટલ પકડી પાડી હતી. કાલમેઘસ્વ, કેટી આયુર્વેદા, સ્ટોન અરિષ્ઠા વગરેે બ્રાંડની આ બોટલ હોટલ સંચાલક મહેન્દ્રસિંહ ચનુભાએ વડોદરા, રાજકોટ તથા દાદરાનગર હવેલીથી મંગાવી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે વડોદરાની શ્રી આયુર્વેદિક હેલ્થ કેર નામની પેઢીના પ્રોપરાઈટર નીતિન અજીતભાઈ કોટવાણી વગેરે સામે ગુન્હો નોંધ્યો હતો.
આ કેસમાં જામનગરની અદાલતમાં નીતિન કોટવાણીએ આગોતરા જામીન માંગતી અરજી કરી હતી. તેની સામે સરકાર પક્ષે દલીલ કરી હતી કે, આ ડ્રીંકસમાં ઝેરી રસાયણનો ઉપયોગ થતો હોય તેને બનાવવી કે મોકલવી ગુન્હો બને છે અને હજુ તપાસ ચાલુ છે ત્યારે પૂછપરછ માટે આરોપીની જરૃર પડી શકે છે. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપી નીતિન કોટવાણીની અરજી રદ્દ કરી છે. આ કેસમાં સરકાર તરફથી એપીપી પિયુષ પરમાર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial