Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગાઉ કરાયેલી કાર્યવાહી અંગેની દલીલ પછી
જામનગર તા.૧૪ ઃ જામનગરના કનસુમરા ગામમાં આવેલી એક જમીનમાંથી હિસ્સો અલગ કરાવવા એક મહિલા સહિતના વાદીઓએ અદાલતમાં દાવો કરી વચગાળાના મનાઈ હુકમની માંગણી કરી હતી. તે માંગણી અદાલતે નામંજૂર રાખી છે.
જામનગર તાલુકાના કનસુમરા ગામમાં આવેલી જૂના રે.સ.નં.૨૫, ૨૦૫, ૪૩૮, ૪૭૨વાળી જમીન અંગે હવાબાઈ ઈશાક ખીરા, રોશનબેન ઈશાક ખીરાએ વારસદાર તરીકે હિસ્સો જુદો કરાવવા તથા કબજો અપાવવા અંગે કાસમ સુલતાન ખીરા વગેરે સામે અદાલતમાં દાવો કર્યાે હતો અને વચગાળાનો મનાઈ હુકમ માગ્યો હતો.
તે દાવામાં હાજર થયેલા કાસમ ખીરાએ વચગાળાના મનાઈહુકમની અરજી અંગે લેખિત જવાબ તથા દલીલો કરી હતી. વાદી હવાબાઈ વગેરેએ નોંધ નં.૫૩૬ કે જે તા.૧૫-૪-૭૬ના દિને કરવામાં આવી છે તેને ૪૩ વર્ષ પછી પડકારી છે. અગાઉ પણ પ્રાંત અધિકારી અને કલેક્ટર સમક્ષ તેને પડકારવામાં આવી હતી. જેમાં તેઓની તરફેણમાં હુકમ થયો નથી અને તમામ કાર્યવાહીની હકીકત દાવામાં છૂપાવાઈ છે. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી વાદી હવાબાઈ વગેરેની વચગાળાની મનાઈ હુકમની માંગણી નામંજૂર કરી છે. પ્રતિવાદી કાસમ ખીરા તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નૈમિષ ઉમરેટીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial