Advertisement
Author: નોબત સમાચાર

રહેણાંક મકાનમાં રોકડ દાગીના મળી ₹ ૩ લાખની મત્તાની ચોરી

ચેન, લક્કી, મંગળસૂત્ર, વીટી અને પ૦ હજાર રોકડા ગયાઃ

જામનગર તા.૧૪: જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી એક સોસાયટીમાં ત્રણ સપ્તાહ પૂર્વે એક મકાનમાં ચોરી થઈ હતી. મકાનના ઉપરના ભાગમાં સૂતેલા મકાન માલિકને જાણ ન થાય તે રીતે મકાનના નીચેના ભાગમાંથી તસ્કરો ₹ પ૦ હજાર રોકડા તથા દસેક તોલાના દાગીના ઉસેડી ગયા છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ પાર્ક પાછળના આલાપ રેવન્યુના બ્લોક નં.૨૩/૪માં વસવાટ કરતા જયશ્રીબેન પતંજલીભાઈ ભટ્ટ (ઉ.વ.૫૬) નામના મહિલાના મકાનમાં ગયા મહિનાની ૧૮ તારીખની રાત્રિના સમયે કોઈ તસ્કરો ત્રાટક્યા હતા.

સાંઈબાબા મંદિર પાછળના વિપ્ર પરિવારના આ મકાનના મુખ્ય દરવાજાનો લોક તોડી નાખી મકાનના નીચેના ભાગમાં હાથફેરો કરાયો હતો. મકાનના ઉપરના ભાગમાં નિદ્રાધીન પરિવારને ખબર પણ ન પડે તે રીતે તસ્કરોએ અંદરથી ₹ ૩ લાખની મત્તા ઉસેડી હતી.

મકાનના નીચેના ભાગમાં રહેલા ઓરડામાં લોખંડના કબાટનો લોક તોડી નાખી તેમાંથી પેન્ડલ સાથેનો બે તોલા વજનનો સોનાનો ચેન, બે તોલા વજનનું સોનાનું મંગળસૂત્ર, પાંચ ગ્રામની સોનાની ચાર વીટી, ચેક્સવાળી સોનાની બે તોલાની લક્કી, સોનાની બે બંગડી મળી રૂપિયા અઢી લાખના દાગીના અને રૂ.પ૦ હજાર રોકડા ચોરાઈ ગયાની જયશ્રીબેને સિટી-એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફે તપાસ શરૃ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh