Advertisement
Author: નોબત સમાચાર

દુકાન ખાલી ન કરતા ભાડુઆતના પુત્ર સામે માલિકે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કરી રાવ

પચ્ચીસ વર્ષ પહેલા ભાડે લેનાર આસામીનું થયું છે અવસાનઃ

જામનગર તા.૧૪ ઃ ખંભાળિયાના બજાણા રોડ પર હનુમાન મંદિર નજીક એક આસામીએ પચ્ચીસ વર્ષ પહેલા પોતાની દુકાન જે વ્યક્તિને ભાડે આપી હતી. તે ભાડુત અવસાન પામ્યા પછી તેમના પુત્ર દુકાન ખાલી કરતા ન હોય, મૂળ માલિકે તેમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

ખંભાળિયામાં જોધપુર નાકા નજીક બજાણા રોડ પર રહેતા પ્રેમજીભાઈ ધનજીભાઈ નકુમ નામના વૃદ્ધે પોતાની સિટી સરવે નં.૩૧૯૩માં આવેલી અંંદાજે દોઢસો ફૂટની એક દુકાન વર્ષ ૧૯૯૮માં ખંભાળિયાના શક્તિનગરમાં વસવાટ કરતા બાબુભાઈ બારાઈ નામના આસામીને ભાડે આપી હતી.

ત્યારપછી ભાડુત બાબુભાઈનું અવસાન થયું હતું અને તેમના પુત્ર અશ્વિનભાઈ તે દુકાન પર વ્યવસાય કરતા હતા. તે દુકાનનંુ અગાઉ જે ભાડુ નક્કી કરવામાં આવ્યું હતું તે ભાડુ અશ્વિનભાઈ ચૂકવતા ન હતા તેથી પ્રેમજીભાઈએ પોતાની દુકાન ખાલી કરવા માટે વારંવાર અશ્વિનભાઈને જણાવ્યું હતું. તેમ છતાં તે દુકાન ભાડુતના પુત્ર ખાલી કરતા ન હોય, અંતે પ્રેમજીભાઈએ પોતાની અંદાજે રૃા.૩૦ લાખની કિંમતની દુકાન પચાવી પાડવા અંગે અશ્વિનભાઈ બારાઈ સામે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઉપરોક્ત ફરિયાદ પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા સામેના કાયદાની કલમો હેઠળ નોંધી છે અને આરોપીની ધરપકડ માટે તજવીજ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh