Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોન્ટ્રાકટર સામે જરૃરી પગલા લેવા જોઈએ
જામનગર તા. ૧૪ઃ જામનગરમાં મંગલબાગ વાલ્કેશ્વરી નગરીમાં ભૂગર્ભ ગટરના કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ કરવાની માંગ સામે કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોરભાઈ મજીઠીયાએ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું છે કે, વાલ્કેશ્વરી નગરીમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવામાં આવી નથી. છેલ્લા એક વર્ષમાં પણ કયારેય સફાઈ કરવામાં આવી નથી. પરિણામે ભારે વરસાદ સમયે ગટરના પાણી રોડ ઉપર ફરી વળ્યા હતાં. તો કેટલાક લોકોના ઘરમાં પણ ગંદા પાણી ઘુસ્યા હતાં. જેથી બીમારીની દહેશત છે. છેલ્લા ૧૦ દિવસમાં અનેક વખત રજુઆત કરવા છતાં સ્ટાફના અભાવે સફાઈ કામ કરવામાં આવ્યું નથી. ત્યારે સવાલ છે એવો કે સ્ટાફ ન હોવા છતાં આ પેઢી ને કોન્ટ્રાકટ કેવી રીતે મળ્યો ? આ અંગે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial