Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડમાં પરિણીતા સાથે મનમેળ થઈ જવાના પ્રશ્ને બે શખ્સ બાખડ્યા

બંનેએ નોંધાવી સામસામી ફરિયાદઃ

જામનગર તા.૧૪ ઃ કાલાવડમાં એક યુવાનની પત્ની સાથે બીજા શખ્સને મનમેળ થઈ ગયા પછી ગઈકાલે બંને વ્યક્તિ સામસામા આવી જતાં બાખડી પડ્યા હતા. બંનેએ હુમલાની સામસામી ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ શહેરના આંબેડકરનગરમાં રહેતા વિશાલ દામજીભાઈ વાઘેલા (ઉ.વ.૩૫) નામના યુવાન અને તેના જ વિસ્તારમાં રહેતા નીતિન જયસુખભાઈ વાઘેલા (ઉ.વ.૨૬) ગઈકાલે સવારે સિનેમા રોડ પર સામસામા મળી જતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

તે પછી વિશાલને ગાળો ભાંડવામાં આવતા તેણે ગાળો બોલવાની ના પાડતા નીતિન વાઘેલાએ પાવડા વડે હુમલો કરી માર માર્યાે હતો. તે પછી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ગયેલા વિશાલને ત્યાં ધસી આવેલા નીતિનના ભાઈ પ્રતીક જયસુખભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેવી ફરિયાદ વિશાલે નોંધાવી છે.

તે ફરિયાદની સામે નીતિન જયસુખભાઈ વાઘેલાએ વળતી ફરિયાદ કરી છે જેમાં તેણે જણાવ્યા મુજબ ગઈકાલે સવારે સિનેમા રોડ પર સામા મળી ગયેલા વિશાલ દામજીભાઈએ ગાળો ભાંડ્યા પછી પાઈપથી હુમલો કરી માર મારવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સામસામી ફરિયાદના આ બનાવમાં વધુમાં જાણવા મળ્યા મુજબ વિશાલની પત્ની સાથે નીતિનને મનમેળ થઈ ગયો હતો અને તેની જાણ વિશાલને થતાં વિશાલ અને નીતિન વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા. તે દરમિયાન ગઈકાલે સવારે બંને વ્યક્તિ સિનેમા રોડ પર સામસામા મળી જતાં તણખા ઝર્યા પછી સરાજાહેર મારામારી થઈ હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh