Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભણતર સાથે ઈત્તર પ્રવૃત્તિઓના ભાગરૃપે
જામનગર તા. ૧૪ઃ રાધિકા એડ્યુકેર સ્કૂલ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. બાળકોને ભણતર સાથે ઈતર પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે જેથી બાળકોના વિકાસમાં ઉત્તરોઉત્તર વધારો કરી શકાય.
તાજેતરમાં રાધિકા એડ્યુકેર સ્કૂલમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે બાળકોને યોગ કરવાથી થતા લાભ વિશે જાણકારી આપવામાં આવી હતી તેમજ વિવિધ યોગાસનો કરાવવામાં આવ્યા હતાં. તેવી જ રીતે બાળકોમાં સંગીત પ્રત્યે રૃચી વધે તે માટે શાળાના વિદ્યાર્થીઓ માટે સમૂહ ગીત તેમજ સમૂહ પ્રાથનાનું આયોજન કરવામાં આવે છે. તદુપરાંત ફાધર્સ ડે નિમિત્તે વિદ્યાર્થીઓ તથા તેમના પિતા માટે અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમ કે એડ મેડ શો પ્રતિયોગીતા, સા રે ગ મ પ સિંગિંગ સ્કૂલના પ્રિન્સિપલ શ્રીમતી શિવાની આચાર્યના માર્ગદર્શન હેઠળ રાધિકા એડ્યુકેર સ્કુલના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. જૈન એડ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ડો. ભરતેશ શાહ દ્વારા વિદ્યાર્થીઓના વિકાસ માટે કરવામાં આવતા પ્રયાસોને બિરદાવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial