Advertisement
Author: નોબત સમાચાર

હાલારની ૬ સહિત રાજયની ૭૬ નગરપાલિકાઓમાં વહીવટદારો નિમાયા

અખબારી અહેવાલોનો પડઘોઃ સરકાર જાગી

ખંભાળીયા તા. ૪ઃ હાલારની ૬ સહિત રાજયની ૭૬ નગરપાલિકાઓમાં વહીવટદારો નિમાયા છે. ગઈકાલે આ અંગેના આદેશો અપાયા છે.

તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા, ભાણવડ, દ્વારકા સહિત રાજયમાં ૭૬ નગરપાલિકાઓમાં ૧૪-ર-ર૦ર૩ થી ર૪-ર સુધીમાં ચૂંટાયેલી બોડીની મુદ્દત પૂર્ણ થઈ ગયા પછી પણ વહીવટદારનું શાસન ના આવતા વહીવટ ઠપ્પ થઈ ગયાના અખબારી અહેવાલો (આ વર્તમાનપત્ર) આવતા જાગેલી રાજય સરકારે ગઈકાલે સાંજે ખાસ આદેશ કરીને રાજયની તમામ ચૂંટણી લાયક ન.પા.માં મામલતદારો તથા પ્રાંત અધિકારીઆની વહીવટદાર તરીકે નિયુક્તિ કરવાનો હુકમ કર્યો છે.

દ્વારકામાં મામલતદાર વરૃને સલાયામાં ખંભાળીયા મામલતદાર જયેશ મહેતાને તથા ભાણવડમાં ભાણવડ મામલતદારને વહીવટદાર તરીકે નીમવામાં આવ્યા છે.

જામનગરના ધ્રોલ, કાલાવડ તથા જામજોધપુરમાં પણ મુદ્દત પૂર્ણ થતી હોય ત્યાં પણ ત્યાંના મામલતદારોને વહીવટદાર તરીકે નિયુક્તિનો હુકમ કરવામાં આવ્યો છે. શહેરની વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ખાસ હુકમ ગઈકાલે સાંજે બહાર પાડવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh