Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુર તાલુકાના નવાગામ પાસે આવેલા
જામનગર તા. ૪ઃ જામનગરના શ્રી હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી હર્ષિદા ગરબા મંડળના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે ફૂલડોલ ઉત્સવનું આયોજન તા. ૦૬-૦૩-૨૩ને સોમવારના લાલપુર તાલુકાના નવાગામ પાસે આવેલા શ્રી કટારીયાવારા વાછરાદાદાના મંદિરે કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં આવનાર તમામ દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. મંડળ દ્વારા રાત્રિના ૧૦ વાગ્યેથી સવાર સુધી ગરબા, દુહા, છંદ, વાછરાદાદાના લગ્નગીત, મંગળીયા તથા માતાજીના આખ્યાનનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ગામોગામથી માતાજીના બાનાધારી ભુવાઓ પધારશે અને વાછરાદાદાની ગાદી શોભાવશે. કાર્યક્રમમાં જવા માટેનું મંડળનું વાહન (નિઃશુલ્ક) સાંજે ૪ વાગ્યે વિક્ટોરીયા પુલના છેડે, જિલ્લા સેવા સદન-૪ પાસે આવેલા હઠીલા હનુમાનજીના મંદિરેથી ઉપાડવામાં આવશે. જે ભાવિકોને દર્શનનો લાભ લેવાની ઈચ્છા હોય તેમને સમયસર સ્થળ પર હાજર રહેવા વિનંતી છે. તેમ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈની જોશીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag