Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં નહેરૃ યુવા કેન્દ્ર દ્વારા કાર્યક્રમ

સમુદાય આધારિત સંસ્થાઓ ભાગ લઈ શકશે

જામનગર તા.૪ ઃ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. જેના સંદર્ભમાં, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય અને તેની સ્વાયત્ત સંસ્થા નહેરૃ યુવા કેન્દ્ર સંગઠન ૧ એપ્રિલથી ૩૧ મે ૨૦૨૩ સુધી દેશના તમામ જિલ્લાઓમાં સમુદાય આધારિત સંસ્થાઓ દ્વારા 'યુવા સામવેદ' ઈન્ડિયાજ્ર૨૦૪૭ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છેે

આ કાર્યક્રમમાં રસ ધરાવતી સમુદાય આધારિત સંસ્થાઓની કોઈ રાજકીય ૫ૃષ્ઠભૂમિ ન હોવી જોઈએ અને કોઈ ગુનાહિત ઈતિહાસ પણ ન હોવો જોઈએ. સમગ્ર જામનગર જિલ્લામાં આ પ્રકારના ૩ કાર્યક્રમોનું આયોજન કરવા માટે કુલ ૩ સમુદાય અધારિત સંસ્થાની પસંદગી કરવામાં આવશે. રસ ધરાવનાર સમુદાય આધારિત સંસ્થા નહેરૃ યુવા કેન્દ્ર જામનગર કચેરી ઓફિસ નં.૪, પહેલો માળ, જુની આરટીઓ કચેરી, લાલ બંગલો, જામનગરમાંથી અરજી ફોર્મ મેળવી શકે છે અથવા ફોન નં.૯૭૫૮૧૪૩૬૫૧ પર સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh