Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂતો ઈ-ગ્રામ કેન્દ્રોમાં રજીસ્ટ્રેશન કરાવી શકશેઃ
જામનગર તા.૪ ઃ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪માં રા જ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. મારફતે કરવામાં આવશે.
રાજ્ય સ્તરે લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સ્થાનિક કક્ષાએ ઈ-ગ્રામ નોંધણી કેન્દ્ર પર વર્ચ્યુઅલ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા તા.૩૧ માર્ચ સુધી કરવામાં આવશે. ખેડૂતોએ નોંધણી કરાવવા આધાર કાર્ડ, અદ્યતન ગામ નમુનો ૭/૧૨, ૮/અની નકલ, ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામ સાથેની બેંક ખાતાની પાસબુક અને કેન્સલ ચેકની નકલ જમા કરાવવાની રહેશે. ખેડૂતોએ નોંધણી/રજીસ્ટ્રેશન કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ્સ યુવાચ્ય રીતે અપલોડ થાય તેમજ જ માંગ્યા મુજબના અપલોડ થાય તેની ખાસ નોંધ લેવી. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ થશે તો તે ખેડૂતનો ક્રમ રદ્દ થશે અને તેમને ખરીદી માટે જાણ કરવામાં આવશે નહીં. જિલ્લાના જે ઘઉં પકવતા ખેડૂતો તેમનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈચ્છુક હોય તો તેમની ઓનલાઈન નોંધણી ફરજિયાત છે. આ માટે તેઓને જે-તે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરીને નોંધણી કરાવવા માટે અનુરોધ છે.
ખેડૂતોએ ખરીદી સમયે પોતાનું આધાર કાર્ડ અથવા ઓળખપત્ર સાથે રાખવું. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટિકીશેન દ્વારા જ જથ્થાની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને રજીસ્ટ્રેશન/નોંધણી કરાવવા અંગે વધુ માહિતી મેળવવા માટે હેલ્પલાઈન નં.૮૫૧૧૧૭૧૭૧૮ અને ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક સાધી શકાશે. તેમ નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ-ર, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, જામનગરની યાદી જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag