Advertisement
Author: નોબત સમાચાર

શ્રીજીને ગુલાબના પુષ્પોની વર્ષાથી લાડ લડાવાયા

ઠાકોરજીના અલૌકિક દર્શનનો લ્હાવો લઈ ભાવિકો અભિભૂતઃ

દ્વારકાધીશ જગતમંદિરે ફાગણ સુદ એકાદશીના પાવન પર્વે ઠાકોરજીને શ્રૃંગાર આરતી સમયે જ્વલ્લે જ જોવા મળતા ગુલાબના પુષ્પોની પાખડીઓની ફૂલ હોળીના શ્રૃંગાર દર્શન પણ યોજાયા હતાં. ઠાકોરજીને ગુલાબના પુષ્પોની વર્ષાથી લાડ લડાવવામાં આવે છે. શ્રૃંગાર આરતી સમયે ઠાકોરજીને ચાંદીની પિચકારીમાં કેસૂડાંનો રંગ ભરી રંગવામાં આવ્યાનો ભાવ વ્યક્ત કરાયો હતો. અબીલ-ગુલાલ-કંકુ વડે ભગવાનની સાથે ભાવિકોને પણ રંગે રંગી વારદાર પૂજારી પરિવાર દ્વારા એકાદશી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઠાકોરજીના અલૌકિક દર્શનનો લહાવો લઈ ભાવિકો અભિભૂત બન્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh