Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈમ્યુનિટી ઘટી જતા ઘાતક રોગોની સંભાવના વધે
નવી દિલ્હી તા. ૪ઃ કોવિડ રસીકરણથી હાર્ટ એટેક નું જોખમ વધતું હોવાનું ડબલ્યુ.એચ.ઓ.ના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે. કોરોના વાયરસ એ રસીથી ઈમ્યુનિટીને ઓછી કરી દે છે. જેથી ઘાતક રોગો થવાથી શક્યતા વધી જાય છે.
હાલના દિવસોમાં હાર્ટ એટેકોના કેસોમાં વધારો જોવા મળ્યો છે. યુવાઓને જિમમાં કસરત કરતા પણ હાર્ટ એટેકના કેસ સામે આવ્યા છે. આવામાં હાર્ટ એટેકના જોખમને કોરોનાથી જોડવામાં આવી રહ્યું છે. ડબલ્યુ.એચ.ઓ.ના પૂર્વ મુખ્ય સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને હાલમાં કહ્યું હતું કે, કોવિડ પછી હાર્ટ એટેક, ડાયાબિટીસ અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. રસીકરણ થયા બાદની તુલનામાં કોવિડ પછી હાર્ટ એટેકનું જોખમ ૪.પ% વધ્યુ છે.
ડબલ્યુ.એચ.ઓ. અને અન્ય નિષ્ણાતોએ વારંવાર ચેતવણી આપી હતી કે, કોવિડ અનેક ઘાતક બીમારીઓ જેવી કે હાર્ટ એટેક નર્વસ સિસ્ટમ ફેલયોર અને અન્ય કારણો હોઈ શકે. રસી લગાવનારને કોવિડ કેવી રીતે પ્રભાવ કરી શકે છે એ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, એ કોરોના વાયરસ એ રસીથી ઈમ્યુનિટીને ઓછી કરી દે છે. જેથી ઘાતકી રોગો થવાની શક્યતા વધી જાય છે. જેથી સતત નિગરાની કરવી જરૃરી છે.
આ મહિનાના પ્રારંભે ડબલ્યુ.એચ.ઓ. ના ડિરેક્ટર ટેડ્રોસ અધનોમ ધેબ્રેયિયસે ઘોષણા કરી હતી કે, કોવિડ-૧૯ આંતરરાષ્ટ્રીય ચિંતાનું એક જોખમ આરોગ્ય માટે ઈમર્જન્સી બનેલો છે. વિશ્વ આરોગ્યના ચોથા વરસમાં પ્રવેશ કરી રહ્યું છે. એક વર્ષ પહેલાં ઓમિક્રોન લહેર તેના પિક પર હતી. ત્યારથી સુધારો થયો છતાં વાયરસ એક મહત્ત્વનું જોખમ બનેલો છે. તેમણે કહ્યું હતું કે, કોરોના સંક્રમણ અથવા રસી વિશ્વના લોકોને ઈન્ફેકશનથી બચાવે છે. પણ એમાં કોઈ સંદેહ નથી કે એ વાયરસ લોકો અને પ્રાણીઓમાં નજીકના ભવિષ્યમાં સ્થાયી રીતે સ્થાપિત રોગ બની રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag