Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લૈયારાના યુવકનું અકળ કારણથી વિષપાન, મૃત્યુઃ
જામનગર તા.૪ ઃ જામજોધપુરના કોટડાબાવીસી ગામના એક રબારી યુવાનને પિતાએ કામધંધો કરવા ઠપકો આપતા માઠું લાગી આવવાથી આ યુવાને ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે ધ્રોલના લૈયારાના એક યુવકે અગમ્ય કારણથી વિષપાન કર્યા પછી તેના પર કાળનો પંજો પડ્યો છે.
જામજોધપુર તાલુકાના કોટડાબાવીસી ગામના કિશનભાઈ ભીખાભાઈ મુછાર નામના ત્રેવીસ વર્ષના રબારી યુવાને ગઈકાલે સવારે નદીના પુલ પર આવેલા રેલવે ટ્રેક પાસે પહોંચી ત્યાંથી ટ્રેન પસાર થાય તેની રાહ જોયા પછી ટ્રેન હેઠળ ઝંપલાવ્યું હતું. આ યુવાનનું ટ્રેનના તોતિંગ એન્જિનની ટક્કર વાગતા ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની પોલીસને જાણ કરાતા જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેના પરિવારને વાકેફ કર્યાે હતો. કરણાભાઈ ચનાભાઈ મુછારે પોલીસ સમક્ષ નિવેદન જાહેર કર્યું છે. તેમાં જણાવવામાં આવ્યા મુજબ કિશનભાઈ કોઈ કામધંધો કરતા ન હતા, તેમને પિતાએ ઠપકો આપતા માઠું લાગી આવવાથી કિશનભાઈએ આત્મહત્યા કરી લીધી છે.
ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા અરવિંદભાઈ અરજણભાઈ સભાડીયા નામના છત્રીસ વર્ષના પટેલ યુવાને ગુરૃવારે સાંજે પોપટીયા ફાર્મ હાઉસ પાછળ જઈ કોઈ અગમ્ય કારણથી ઝેરી દવા પી લીધી હતી. રાજકોટ દવાખાને ખસેડવામાં આવેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું મોટાભાઈ લલીતભાઈ સભાડીયાએ પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag