Advertisement
Author: નોબત સમાચાર

ઉંડ-૧ ડેમ માંથી પાણી છોડાયું

અનેક ગામના ખેડૂતોને થશે ફાયદોઃ

જામનગર તા. ૪ઃ ઉંડ-૧ હેઠળના ચેકડેમો ભરવા માટે આજે સવારે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતાં. આથી અનેક ગામના ખેડૂતોને ફાયદો થશે.

જામનગર તાલુકાના નંદપુર ગામમાં આવેલ ઉંડ-૧ ડેમમાંથી ડેમના નિચાણવારાના ચેકડેમો ભરવા માટે આજે સવારે પાણી છોડવામાં આવ્યું હતું. પરિણામે આજુબાજુના અનેક ગામડાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે. આમ તેમને ખેતીમાં પણ ફાયદો થશે. બીજી તરફ પાણી છોડવાના કારણે જાનમાલને નુકસાન ન થાય તે માટે તમાચણ રોજીયા, રવાણી, ખીજડીયા, ખંભાલીડા, ધ્રાંગડા, સણોસરા, વીરાણી ખીજડીયા, જાલીયાદેવાણી, માનસર, હમાપર, સોયલ, નથુવડાલા, ઝાલાપર અને વાંકિયા, લખતર વિગેરે ગામના લોકોને નદીના પટમાં અવરજવાર નહીં કરવા સૂચના આપવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh