Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૪ ઃ જામનગરના એક મહિલાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવાના ગુન્હામાં સંડોવાયેલા બે આરોપીએ સરેન્ડર કરવા અદાલત સમક્ષ કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.
જામનગરના ભારતીબેન બિ૫ીનભાઈ ચાવડા નામના મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, નિકુલસિંહ ગંભીરસિંહ જાડેજા, મુકેશ જાનીભાઈ શર્મા નામના બે શખ્સે તેણીના ઘર પાસે આવી ભારતીબેનના સાસુને માર માર્યાે હતો અને મોબાઈલ તોડી નાખ્યો હતો. તે પછી દેકારો થતાં આ શખ્સો ગાળો ભાંડી, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી નાસી ગયા હતા.
ત્યારપછી આ ગુન્હામાં આરોપી નિકુલસિંહ અને મુકેશ પરમારે પોલીસે તેઓને પકડી પાડી માર મારવા ઉપરાંત ખોટી કબૂલાત કરાવશે તેવી દહેશતથી અદાલત સમક્ષ સરેન્ડર (હાજર થઈ જવાની) અરજી કરી હતી. તે અરજી સામે ડીવાયએસપીએ કોર્ટમાં હાજર થઈ એડી. પીપી ધર્મેન્દ્ર જીવરાજાણી મારફત દલીલ કરી હતી કે, આરોપી પાસેથી મુદ્દામાલ રીકવર કરવાનો છે ત્યારે બંને આરોપીની હાજરીની જરરૃરિયાત છે. અદાલતે તે દલીલ માન્ય રાખી બંને આરોપીની સરેન્ડર અરજી નામંજૂર કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag