Advertisement
Author: નોબત સમાચાર

આજી-૩ ડેમમાં યાંત્રિક કામગીરીનું નિરીક્ષણ કરતા મ્યુનિ. કમિશનર

રીપેરીંગ માટે ડેમ ખાલી થનાર હોઈ

જામનગર તા. ૪ઃ આજી-૩ ડેમ રીપેરીંગ માટે ખાલી કરવામાં આવનાર હોવાથી તેના કેચમેન્ટ આવનાર હોવાથી તેના કેચમેન્ટ એરિયામાંથી પાણી મેળવવા માટે મશીનરી ફીટીંગ કામગીરી ચાલી રહી છે જેનું ગઈકાલે કમિશનર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

રાજકોટ સિંચાઈ વિભાગ દ્વારા આજી-૩ ડેમના ગેટ રીપેરીંગ કરવામાં આવનાર હોવાથી ડેમ ખાલી કરવામાં આવનાર છે. આથી દરરોજ ૪૦ એમએલડી પાણી મળવામાં કોઈ વિલંબ ઊભો ન થાય તેથી જામનગર મહાનગરપાલિકા દ્વારા આજી-૩ ડેમના કેચમેન્ટ એરિયામાંથી પાણી ઉપાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જરૃરી મશીનરી ફિટીંગ કામગીરી ચાલી રહી છે. ગઈકાલે મ્યુનિ. કમિશનર વિજયકુમાર ખરાડી બે વોટર વર્કસ શાખાના અધિકારીને સાથે રાખીને કામનું નિરીક્ષણ કર્યું હતું.

જામનગરમાં વર્તમાન ધોરણે નિયમિત પાણી વિતરણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તેમણે જરૃરી સૂચના વોટર વર્કસ વિભાગના અધિકારીને આપવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh