Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેમ-જેમ હોળી-ધુળેટીના પર્વ નજીક આવી રહ્યા છે તેમ કૃષ્ણ સંપ્રદાયના મંદિરો, હવેલી, બેઠકજીમાં અનેકવિધ દર્શનોના કાર્યક્રમો યોજાય રહ્યા છે. ગઈકાલે ફાગણ અગીયારસના દિવસથી હવેલીમાં રાળ ઉત્સવનો પ્રારંભ થયો છે. અગીયારસથી પૂનમ સુધી શયન આરતીના દર્શનમાં રાળ ઉત્સવ ઉજવવામાં આવે છે. રાળ ઉત્સવનું મહત્વ એ છે કે બાલગોપાલ સમક્ષ વૈષ્ણવો અલગ-અલગ વેશભૂષા ધારણ કરી અને ઠાકોરજી સમક્ષ ખેલે છે. ત્યાર પછી રાળને પ્રગટાવી અને ઉત્સવ મનાવવામાં આવે છે. ત્યાર પછી પ.પૂ. શ્રી દ્વારા વૈષ્ણવોને અબીલ-ગુલાલનો છંટકાવ કરી અને આ ઉત્સવમાં ભાગ લેવડાવે છે. આ ઉત્સવમાં જામનગરની મોટી હવેલીના પ.પૂ. મહોદયશ્રી વલ્લભરાયજી, પ.પૂ. રસાદ્રરાયજી, પ.પૂ. પ્રેમાદ્રરાયજી તથા બેટીજી દ્વારા ઠાકોરજી સમક્ષ રાળ ઉત્સવ ઉજવવામાં આવે છે. ઉપરોક્ત તસ્વીરમાં વલ્લભરાયજી મહોદય વૈષ્ણવો સાથે આ ઉત્સવને આનંદથી ઉજવી રહેલા દૃશ્યમાન થાય છે. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag