Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હુકમ સામે કરાયેલી રીવીઝન થઈ નામંજૂરઃ
જામનગર તા. ૧૮ઃ જામનગરના ગાગવા ગામમાં આવેલી મહાજન પરિવારની વડીલોપાર્જિત ખેતીની જમીન અંગે પડેલી નોંધ રદ્દ કરાવવા શરૃ કરાયેલી કાયદાકીય કાર્યવાહીમાં તે નોંધ રદ્દ કરવાનો હુકમ થયો છે.
જામનગર તાલુકાના ગાગવા ગામમાં નરશી રાજ૫ાર તથા ઝવેરચંદ રાજપારના નામની ખેતીની જમીનો આવેલી હતી. વર્ષ ૨૦૦૩માં ઝવેરચંદ રાજપારનું અવસાન થયું હતું અને વર્ષ ૨૦૧૦માં ઝવેરચંદનો હક્ક કમી કરવા ગામ નમૂના નં.૬માં ૭૨૫ નંબરની નોંધ દાખલ કરાવાઈ હતી.
તે નોંધ માટે બોગસ અરજી અને સોગંદનામુ તૈયાર કરાવાયું હોવાની વિગતો ઝવેરચંદના પુત્રી જસ્મિનાબેન કેતન ગાંધીને મળતા તેઓએ વિલંબ માફ કરવાની અરજી સાથે જામનગર ગ્રામ્યના પ્રાંત અધિકારીની કોર્ટમાં અપીલ નોંધાવી હતી. તે અપીલ પ્રાંત અધિકારીએ સ્વીકારી વિલંબ માફ કર્યાે હતો. તેની સુનાવણી પછી ૭૨૫ નંબરની નોંધનો સર્કલ ઓફિસરનો નિર્ણય રદ્દ કરાયો હતો. તે હુકમ સામે જીતેન્દ્ર નરશી ગુુઢકાએ જામનગરના કલેક્ટરની કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. કલેક્ટરની કોર્ટમાં પ્રથમ મુદ્દતમાં જ દલીલ કરાઈ હતી કે, નોંધ નં.૭૨૫ માટે કરાયેલી અરજી તેમજ હક્ક કમીના સોગંદનામામાં ઝવેરચંદ રાજપારના અંગુઠાનું નિશાન રજૂ કરાયું છે. જ્યારે અપીલમાં ઝવેરચંદનું મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર રજૂ થયું છે. તેમાં રહેલી વિગતો અંગે રીવીઝન કરનાર અરજદાર તરફથી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી અને પ્રમાણપત્ર ખોટું હોવાનો આધાર પુરાવો રજૂ થયો નથી. તેથી હક્ક કમીનું સોગંદનામુ બનાવટી હોવાનું પ્રાથમિક તારણ દર્શાવી તેના આધારે કરાયેલી નોંધ રદ્દ કરવી જોઈએ. તે દલીલને ગ્રાહ્ય રાખી કલેક્ટર કોર્ટે જસ્મિનાબેન ગાંધીની તરફેણમાં હુકમ કર્યાે છે. તેઓ તરફથી વકીલ હેમલ ચોટાઈ તથા હીરેન ગુઢકા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial