Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરવશ મહિલાને મદદ કરવાનો મામલોઃ
જામનગર તા. ૧૮ઃ જોડિયાના મેઘપર ગામમાં એક વૃદ્ધાને બાથરૃમ તરફ લઈ જવાના પ્રશ્ને એક જ ફળીયામાં રહેતા બે પરિવાર વચ્ચે બોલાચાલી થયા પછી મારામારી થઈ હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે.
જોડિયા તાલુકાના મેઘપર ગામમાં રહેતા નરશીભાઈ બેચરભાઈ સાપરીયા નામના પાંસઠ વર્ષના વૃદ્ધ ગઈકાલે બપોરે પોતાના બહેન દયાબેનને બાથરૃમ માટે લઈ જતાં હતા. આ વૃદ્ધા હાલીચાલી શકતા ન હોય અને તેમને દેખાતું પણ ન હોવાથી નરશીભાઈ મદદ કરવાના હેતુથી તેઓને બાથરૃમ તરફ લઈ જતા હતા.
આ વેળાએ તેમના જ ઘરના ફળીયામાં રહેતા શાંતિલાલ નરશીભાઈ ગોહિલ તેમજ પાર્વતીબેન શાંતિલાલ ગોહિલ દોડી આવ્યા હતા અને દયાબેનને બાથરૃમ કેમ લઈ જાય છે તેમ કહી ગાળો ભાંડી લાકડી વડે હુમલો કરી નરશીભાઈને માર માર્યાની જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
આ ફરિયાદની સામે પાર્વતીબેન શાંંતિલાલે વળતી ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેઓના નણંદ દયાબેન હાલી ચાલી શકતા ન હોય અને દેખાતું પણ ન હોય તેઓને ગઈકાલે બપોરે તેમના જ ફળીયામાં રહેતા નરશીભાઈ બેચરભાઈ સાપરીયા લઈ જતા હતા ત્યારે દયાબેનને ક્યા લઈ જાવ છો તેમ પાર્વતીબેનને પૂછતા તેઓને બાથરૃમ માટે લઈ જઉં છું તેમ કહી નરશીભાઈએ ગાળો ભાંડી પાર્વતીબેનના માથામાં લાકડી ઝીંકી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ આરોપીઓની ધરપકડ માટે તજવીજ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial