Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં જલારામ જયંતિ નિમિત્તે સંગીતમય આયોજન
છોટીકાશીનું બિરૃદ પામેલ ધર્મનગરી જામનગરમાં દર વર્ષે રઘુવંશી સમાજ દ્વારા જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજનનાં રજત જયંતિ વર્ષને અનુસંધાને આ વર્ષે ડાયરાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે તા. ૧૮-૧૧ને શનિવારે રાત્રે ૮ઃ૩૦ કલાકેથી જલારામ નગર પ્રદર્શન ગ્રાઉન્ડમાં ડાયરાનો કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં વિશ્વ પ્રસિદ્ધ ગાયક ઓસમાણ મીર સુરોનો જાદુ રેાવશે અને દર્શકોને મંત્રમુગ્ધ કરશે. સંગીત પ્રેમીઓમાં આ અયોજનને લઈને ભારે ઉત્કંઠા જોવા મળી રહી છે. જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા ડાયરાનાં કાર્યક્રમનો લાભ લેવા જામનગરની જાહેર જનતાને પણ અનુરોધ કરવામાં આવ્યો છે. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial