Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની મોટી હવેલીમાં મંગલ ઉત્સવ
જામનગર તા. ૧૮ઃ જામનગરમાં બિરાજમાન શ્રીમદ્ વલ્લભાચાર્યજીના નિધિ અને ભગવદીય ગદાધરદાસજીના સેવ્ય મદનમોહન પ્રભુની અનુકંપા અને મહાકારૃણિક મહાપ્રભુજી એવમ્ ગુસાંઈજીના અનુગ્રહથી પૂ. વ્રજભૂષણલાલજી મહારાજના પ્રપૌત્રી, પુષ્ટિ સિદ્ધાંતના સંરક્ષણ શિરોમણી પૂ. હરીરાયજી મહારાજના પૌત્રી તથા પૂ. વલ્લભરાયજી મહોદયના બેટીજી સૌ.કાં.ચિ. શ્યારા રાજાના શુભવિવાહ જ્યોર્તિરાજા બેટીજી રાજારાયજી શર્માના પૌત્ર એવમ્ પરાગકુમારજી શર્મા (મુંબઈ)ના સુપુત્ર ચિ. શાલીનજી રાજા સાથે નિરધાર્યા છે.
તા. ૫,૬,૭ ડિસેમ્બર, ૨૦૨૩ ત્રણ દિવસ સુધી શુભ વિવાહ પ્રસ્તાવનો મંગલ પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવશે.
તા. ૦૫-૧૨-૨૩ના રાત્રે ૮ વાગ્યે નિશ્રય તાંબુલ (બડી સગાઈ) થશે. તા. ૦૬-૧૨-૨૩ના બપોરે ૧૨ વાગ્યે વૃદ્ધિની સભા તથા સાંજે ૭ વાગ્યે શુભવિવાહ થશે. તા. ૦૭-૧૨-૨૩ના બપોરે ૧૨ વાગ્યે બડી પઠોની (વિદાય) યોજાશે.
શુભવિવાહ પ્રસ્તાવના ઉપલક્ષમાં મહાપ્રભુજી નિધિ એવમ્ ગદાધરદાસજીના સેવ્ય મદનમોહન પ્રભુના વિવિધ મનોરથના દર્શન યોજાશે. આ મંગલ પ્રસંગે પૂ. વ્રજભૂષણલાલજી મહારાજનો સમગ્ર પરિવાર તથા અનેક આચાર્યો ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial