Advertisement
Author: નોબત સમાચાર

લાઈટ બીલ ભરવાના મામલે બોલાચાલી પછી લાલપુરમાં પિતા પર બે પુત્રનો હુમલો

પત્નીએ પણ પુત્રો સાથે હુમલો કર્યાની ફરિયાદઃ

જામનગર તા. ૧૮ઃ લાલપુરના ધરારનગરમાં એક મકાનમાં જ અલગ અલગ રહેતા બે પુત્રએ વીજબીલ ભરાયું ન હોય અને વીજજોડાણ કપાઈ ગયું હોવાથી પિતા પર હુમલો કરી માર માર્યાે હતો. હુમલામાં પુત્રોની સાથે તેમની માતા પણ જોડાયા હોવાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયા છે.

લાલપુર શહેરના ધરાર નગર વિસ્તારમાં રહેતા જુમાભાઈ નુરમામદભાઈ ચૌહાણ નામના સંધી પ્રૌઢને ગુરૃવારની રાત્રે નવેક વાગ્યે તેમના જ પુત્ર આસિફ તેમજ તૌસિફ અને પત્ની રહેમતબેન જુમાભાઈએ ગાળો ભાંડ્યા પછી ઢીકાપાટુથી માર માર્યાે હતો. નાક પર વાગી જતાં જુમાભાઈને નાકોડી ફૂટી ગઈ હતી. તેઓએ બંને પુત્ર તથા પત્ની સામે ફરિયાદ કરી છે.

તેઓની ફરિયાદમાં જણાવ્યા મુજબ જુમાભાઈ તથા હુમલાખોર પુત્રો અને પત્ની એક જ મકાનમાં અલગ અલગ રહે છે. તેઓનું વીજ વપરાશનું મીટર એક જ છે. થોડા દિવસો પહેલાં વીજ કંપની દ્વારા બીલ પાઠવવામાં આવ્યું હતું તેની રકમ ભરપાઈ નહીં કરાતા ગઈકાલે વીજ કર્મચારીએ આ મકાનનું વીજ જોડાણ કાપી નાખ્યું હતું.

ત્યારપછી જુમાભાઈના પુત્રોએ પાડોશી પાસેથી હંગામી વીજજોડાણ મેળવવાનો પ્રયાસ કર્યાે હતો. આ વેળાએ તેમ નહીં કરવા જુમાભાઈએ કહેતા બંને પુત્રો અને પત્ની ઉશ્કેરાયા હતા અને તેઓએ જુમાભાઈને માર માર્યાે હતો. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh