Advertisement
Author: નોબત સમાચાર

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર સહિત ત્રણ વિરૃદ્ધ પોલીસ ફરિયાદ

મુંબઈમાં મંજુરી વગર બ્રીજનું ઉદ્ઘાટનઃ

મુુંબઈ તા. ૧૮ઃ મુંબઈમાં લોઅર પરેલ બ્રીજનું ઉદ્ઘાટન મંજુરી લીધા વગર કર્યાના આરોપ સાથે મુંબઈના એન.એમ. જોશી પોલીસ સ્ટેશનમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે સહિત ત્રણ નેતાઓ વિરૃદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

આદિત્ય ઠાકરે તેમજ ઉદ્ધવ ઠાકરે જુથના સુનિલ શીંદે અને સચિન આહિર વિરૃદ્ધ અઈપીસી કલમ ૧૪૩, ૧૪૯, ૩ર૬, ૪૪૭ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે આદિત્ય ઠાકરેએ લોઅર પરેલ બ્રીજનું ઉદ્ઘાટન મંજુરી વગર કર્યું હતું. આ ઘટના તા. ૧૬/૧૧ ના બની હતી. આથી બીએમસીએ તા. ૧૭/૧૧ ના તેમની વિરૃદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh