Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૯: જામજોધપુરના સીદસર ગામે જમીન સાથણીમાં મુળજીભાઈ નારણભાઈને, ખેતીની જમીન સાંથણીમાં મળેલ હતી. મુળજીભાઈ નારણભાઈ ગુજરી જતા તેના વારસપુત્રો (૧) મેણંદભાઈ મુળજી (૨) લાલજી મુળજી તથા (૩) રામજી મુળજી વિગેરેના ખાતે આ જમીન દાખલ થયેલ હતી. પરંતુ મેણંદભાઈ મુળજી અવસાન પામતાં તેના પુત્ર ચંદુભાઈ મેણંદભાઈએ સમગ્ર જમીન તેમના ખાતે દાખલ કરાવી દીધેલ છે. અને આ જમીનમાં અન્ય વારસોને ભાગ આપતા ન હતા. આથી લાલજી મુળજી અને રામજી મુળજીનો વારસોએ, તેમના દાદાને મળેલ જમીન માંથી ભાગ મળવા, તથા તેમનાં ભાગની જમીન જુદી કરીને કબજો મળવા માટે, લાલપુરના પ્રિન્સીપાલ સિનિયર સીવીલ જજ સાહેબની કોર્ટમાં દાવો દાખલ કરેલ હતો. નામદાર કોર્ટે લાલજી મુળજી અને રામજી મુળજીના વારસોના દાવો મંજૂર કરીને તેમનાં વારસોનો તેમનો ભાગ આપવા માટે હુકમ કરેલ છે. અને વાદીઓના દાવો મંજુર કરેલ છે.
વાદીઓ તરફે એડવોકેટ શ્રી એન.જે.મહેતા, દિપાલી પંડયા, જનક જોષી તથા રવિન્દ્રગિરિ એચ. ગોસ્વામી રોકાયેલ હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial