Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં ત્રણ ડીવાયએસપીની લાંબા સમયથી જગ્યા રહી છે ખાલી..!

છેવાડાના જિલ્લામાં મહત્ત્વના હોદ્દા પર ઈન્ચાર્જઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૯: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વિભાગમાં મહત્વની ગણાતી ડીવાયએસપીની ત્રણ જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે અને તે પોસ્ટ પર ઈન્ચાર્જથી કંટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

ખંભાળિયાના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિની સાત મહિના પહેલાં બદલી થઈ હતી. તે પહેલાં એસસીએસટી સેલના ડીવાયએસપી સમીર સારડાની પણ બદલી થઈ હતી. તે પછી એસસીએસટી સેલમાં ડીવાયએસપીની નિમણૂક થઈ હતી પરંતુ ખંભાળિયા ડીવાયએસપીની જગ્યા સાત મહિનાથી ખાલી પડી છે.

તે જ રીતે હેડકવાર્ટર ડીવાયએસપીની જગ્યા પણ ખાલી છે અને દ્વારકાધીશ મંદિર સુરક્ષામાં ડીવાયએસપીની જગ્યા પર લાંબા સમયથી પોલીસ ઈન્સ. ઈન્ચાર્જ તરીકે ફરજ પર છે. આમ, દ્વારકા જિલ્લામાં પાંચ ડીવાયએસપીની પોસ્ટ પર હાલમાં બે ડીવાયએસપીની નિયુક્તિ છે ત્યારે છેવાડાના જિલ્લામાં ડીવાયએસપીની નિમણૂક અંગે ગૃહવિભાગની બેદરકારી ચર્ચાનું કેન્દ્ર બની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh