Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન.પા. પૂર્વ કારોબારી ચેરમેન હીનાબેન આચાર્યના પ્રયાસોથી કામ મંજૂર થયેલું
ખંભાળીયા તા. ર૯: ખંભાળીયા શહેર રાજાશાહીના સમયનું જામનગરના રાજવી જામસાહેબનું હોય, અહીં પણ પ્રાચીન નગરોની જેમ ગામ ફરતા લાખોગઢ તથા તેમાં આવજા કરવાના દરવાજા, નાકાઓ હતાં. ખંભાળીયા નગરપાલિકા દ્વારા આ દરવાજાના વિકાસ માટે અનેક પ્રયાસો છતાં સરકારમાં કંઈ મંજૂર થતું નહોતું, પણ પૂર્વ કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય દ્વારા પાલિકા ઈજનેર એન.આર. નંદાણીયા સાથે શહેરના આ વિવિધ દરવાજાઓ તથા રજવાડાના સમયનું ખંભાળીયાનું ઐતિહાસિક મહત્ત્વ તથા જામસાહેબના વિવિધ રાજાઓનો આ શહેરનો ઐતિહાસિક સંબંધ વિ. બાબતોના ફોટા, વીડિયો સાથે દસ્તાવેજી સાહિત્ય સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆતો તથા રાજકીય અગ્રણીઓની પણ ભલામણ કરાવાતા વીસ-વીસ વર્ષથી જેના માટે દસ લાખની માંગ પણ મંજૂર થતી ન હતી ત્યાં રૂપિયા ૩.પ૦ કરોડ ફાળાવાયા. જે પછી આ તમામ નાકાઓ, દરવાજાઓને રજવાડી લૂક સાથે જુના કિલ્લાના ગેટ જેવું બનાવવાનું શરૂ થયું, જે કાર્ય પૂર્ણતાના આરે પહોંચવામાં છે. પોર ગેઈટ, દ્વારકા ગેઈટ, સલાયા ગેઈટ તથા ખામનાથ પાસે નવ ડેરીનું ઐતિહાસિક મકાન, તે તમામ સ્થળોને હેરીટેજ લૂક આપીને જૂના પ્રાચીન સમયની વિરાસતો જેવા નવા રૂપરંગમાં આ તમામ નાકાઓ જોવા લાયક સ્થળ બનશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial