Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા/શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા
જામનગર તા. ર૯: આવતીકાલે તા. ૩૦/૧ર ના જામનગર જિલ્લા/શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્મન સમારોહ યોજાશે.
જામનગર જિલ્લા/શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આવતીકાલે તા. ૩૦-૧ર-ર૦રપ ના સાંજે ૪ વાગ્યે મ્યુનિ. ટાઉનહોલમાં બહ્મસમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનો સમારોહ યોજવામાં આવયો છે.
આ સમારોહમાં અતિથિતિવિશેષપદે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટ, શિક્ષણ વિદ્ દુષ્યંતભાઈ પુરોહિત, ઓથોપેડિક સર્જન ડો. વિજયભાઈ સાતા, ચાઈલ્ડ સ્પેશ્યાલીસ્ટ ડો. સુરેશભાઈ ઠાકર, ડો. દેવાન્શુભાઈ શુક્લ, ડો. ગૌરંગભાઈ પંડ્યા તથા ડો. ભાવિકભાઈ જોષી ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં હાજર રહેનાર છાત્રોને અથવા તેમના માતા-પિતાને પારિતોષિક આપવામાં આવશે. જે માટેના ટોકન બપોરે ૩-૩૦ થી ૪-૩૦ દરમિયાન સ્થળ પરથી મેળવી લેવાના રહેશે.
સમગ્ર સમારોહનું આયોજન સંસ્થાના જિલ્લા પ્રમુખ આશિષભાઈ જોષી, મહામંત્રી ભાષ્કરભાઈ જોષી, શહેર પ્રમુખ હિરેનભાઈ કનૈયા તથા મહામંત્રી જસ્મિનભાઈ ધોળકિયાની આગેવાની હેઠળ કરવામાં આવ્યું છે. સમારોહ પૂર્ણ થયા પછી ભોજન સમારંભ યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial