Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્ર-રાજ્ય સરકારોને નોટીસ ફટકારી
નવી દિલ્હી તા. ર૯: અરવલ્લી મામલે સુપ્રિમ કોર્ટે પોતાના આદેશ પર સ્ટે આપવાનો અને તમામ ભલામણ અને ટિપ્પણી સ્થગિત કરીને કેન્દ્ર-રાજ્ય સરકારને નોટીસ ફટકારી છે.
સુપ્રિમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના કેસમાં પોતાના જ ર નવેમ્બરના ચૂકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને નોટીસ ફટકારીને જવાબ માંગ્યો છે.
જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. હવે આ કેસની વધુ સુનાવણી ર૧ જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. સુપ્રિમ કોર્ટે ર૦ નવેમ્બરના અરવલ્લી પર્વતમાળા અને તેની ટેકરીઓની એક સમાન વ્યાખ્યાને માન્યતા આપી હતી. સાથોસાથ નિષ્ણાતોનો અહેવાલ તૈયાર ન થાય ત્યાં સુધી દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના અરવલ્લી પટ્ટામાં ખનન માટેના નવા કોન્ટ્રાક્ટ (લીઝ) આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
ઉલ્લેખનિય છે કે, ગયા મહિને જ કેન્દ્રિય પર્યાવરણ મંત્રાલયે સુપ્રિમ કોર્ટમાં ભલામણ કરી હતી કે, ૧૦ મીટરથી ઊંચા પહાડોને જ અરવલ્લીની ગિરિમાળા માનવામાં આવે. સુપ્રિમ કોર્ટે આ વ્યાખ્યાને માન્યતા પણ આપી દીધી હતી. જે પછી રાજસ્થાન અને હરિયાણામાં પર્યાવરણપ્રેમીઓ દ્વારા અરવલ્લીને બચાવવા માટે વિરોધ કરવામાં અવી રહ્યો છે. લોકોએ કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવી છે, જો કે ભારે વિરોધ અને વિવાદ વધતા જોઈ કેન્દ્ર સરકારે ર૪ મી ડિસેમ્બરે નવો આદેશ જાહેર કર્યો હતો કે અરવલ્લીમાં નવા ખાણકામની મંજુરી આપવામાં આવશે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial