Advertisement
Author: નોબત સમાચાર

બેટદ્વારકા, શિવરાજપુર બીચ, નગેશ્વર, ગોપી તળાવ વિગેરે સ્થળોએ ઉમટતો માનવ મહેરામણ

પ્રવાસીઓનો પ્રવાહ પૂરજોશમાં

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ર૯: દ્વારકા આવતા દર્શનાર્થીઓ મહદ્અંશે દ્વારકા દર્શનમાં આવતા તીર્થસ્થાનો નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ, બેટ-દ્વારકાધીશ મંદિર અને રૂક્ષ્મણિ મંદિર સહિતના સ્થળે દર્શનાર્થે જતા હોય, સર્કિટના તમામ ધાર્મિક સ્થળોમાં પણ ભાવિકોની ચિક્કાર ભીડ જોવા મળી રહી છે.

દ્વારકા પંથકમાં આવેલ શિવરાજપુર બીચ, બેટદ્વારકા જવા માટેના સુદર્શન સેતુ અને મોમાઈ બીચ પણ પ્રમુખ પર્યટન સ્થળો હોય, ધાર્મિક ઉપરાંત પર્યટન સ્થળો પર પણ હજારોની સંખ્યામાં સહેલાણીઓની ભીડ જોવા મળી રહી છે.

દ્વારકા ઉપરાંત દ્વારકા દર્શન સર્કિટના તમામ તીર્થસ્થાનો અને પર્યટન સ્થળો પર વાહનોની કતારો જોવા મળી રહી છે. દ્વારકા પંથકમાં આગામી ૧૦ જાન્યુઆરી સુધી આવી જ ભીડભાડ અપેક્ષિત હોય, તંત્ર દ્વારા યાત્રિકલક્ષી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલમાં દ્વારકામાં હોટલ, ગેસ્ટહાઉસ, ધર્મશાળા, ભવનો તથા આશ્રમોમાં પણ દર્શનાર્થીઓના જનસેલાબને લીધે હાઉસફૂલ જેવી સ્થિતિ મળી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh