Advertisement
Author: નોબત સમાચાર

કજુરડા પાસે ધોરીમાર્ગમાં બંધ રસ્તો ખોલવા આમ આદમી પાર્ટીની રજુઆત

ખંભાળીયા-જામનગર માર્ગ પર

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૯: ખંભાળિયા-જામનગર રોડ પર કજુરડા પાસે કજુરડા તરફથી આવીને કોઈને ખભાંળિયા દ્વારકા જવું હોય તો ગેપ ડીવાઈડર જેવો રસ્તો હતો, તે તંત્ર દ્વારા બંધ થતા લોકોને જામનગર તરફથી તથા ખંભાળિયા જવા માટે કજુરડા તરફથી એક-દોઢ કિ.મી. રોંગ સાઈડમાં જવું પડતું હોય, તથા ભારે ઉહાપોહ થતા સ્થાનિક આગેવાનો તથા આપ પાર્ટીના કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું.

આ આવેદનપત્રમાં જણાવાયેલ કે નેશનલ હાઈવે પરનું કજુરડા ગામ પાસે નાનો રસ્તો હતો તે કોઈ જાણ કે સૂચના આપ્યા વગર બંધ કરાયો છે, જેથી ગામમાં જવા કે ગામથી દ્વારકા તરફ જવા લોકોને લાંબો ફેરો થાય કે રોંગસાઈડમાં જવું પડતું હોય, એમ્બ્યુલન્સ, ફાયર તથા ઈમરજન્સી વાહનોને પણ આવો ફેરો થતા તકલીફ થાય છે. વડીલો, છાત્રો, ખેડૂતોએ પણ ફરીને જવું પડતું હોય તથા જે જુનો ખુલ્લો રસ્તો હતો ત્યાં આ રસ્તાને લીધે કોઈ અકસ્માતો પણ થયા નથી. નવો કોઈ વિકલ્પ માર્ગ પણ ના હોય, તાકીદે જુનો રસ્તો ખુલ્લો કરવા માગ થઈ છે, જેથી કરીને લોકોને પરેશાની ના થાય તથા શોર્ટકટ માટે જોખમી રીતે રોંગસાઈડમાં જનારા વાહન ચાલકો પણ બંધ થઈ જાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh