Advertisement
Author: નોબત સમાચાર

બાંગલાદેશના ધ્વજને મોડી રાત્રે પગ નીચે કચડીને હિન્દુસેનાએ કર્યો વ્યક્ત આક્રોશ

હિન્દુઓ પર થતા અત્યાચારના સંદર્ભે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯: બાંગલાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચારો વધી રહ્યા છે. તેનો વિરોધ કરવા જામનગરમાં ગત્ મધ્ય રાત્રિના હિન્દુ સેનાના કાર્યકરો એકત્ર થયા હતાં, અને બાંગલાદેશના ધ્વજને પગ નીચે કચડી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

બાંગલાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર સતત વધી રહ્યા છે. આથી ભારતના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગત મોડી રાત્રે જામનગરમાં હિન્દુ સેાનાના કાર્યકર્તાઓ સુભાષ બ્રિજ પાસે એકત્ર થયા હતાં અને બાંગલાદેશના ધ્વજને પગ નીચે કચડી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં હિન્દુ સેના શહેર યુવા પાંખના પ્રમુખ સાગર ચૌહાણ, સૌરાષ્ટ્રના મંત્રી મયુર ચંદન, હર્ષ ભાનુશાળી, કિશન નંદા, મંથન અધેરા, દિપ ચાંદલિયા વિગેરે જોડાયા હતાં અને સૂત્રોચ્ચાર કર્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh