Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિક્ષાચાલકની બેદરકારીથી સર્જાયો અકસ્માતઃ
જામનગર તા. ૨૯: જામનગર-રાજકોટ રોડ પર ધુંવાવની ગોળાઈમાં સપ્તાહ પૂર્વે સાંજના સમયે એક રિક્ષા તેના ચાલકના કાબૂ બહાર જઈ ગોથું મારી જતા રિક્ષામાં જઈ રહેલા શ્રમિક દંપતીના દોઢ વર્ષના બાળકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે રિક્ષાચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના સ્વામિના રાયણનગર વિસ્તારમાં વસવાટ કરતા મૂળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના વતની શેરસિંગ સમરૂભાઈ વાસકેલા તથા તેમના પત્ની જંતરીબેન ગઈ તા.૨૦ની સાંજે પોતાના દોઢ વર્ષના પુત્ર રાજવીર સાથે જીજે-૧૦-ટીડબલ્યુ ૪૫૦૪ નંબરની રિક્ષામાં હાપામાંથી મજૂરીકામ પૂર્ણ કરીને જામનગર તરફ આવવા માટે નીકળ્યા હતા.
આ રીક્ષા હાપા ગામના ઢાળીયા પાસે પહોંચી ત્યારે તેના ચાલકે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરતા રીક્ષા ગોથું મારી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાંથી શેરસીંગ તથા તેમના પત્ની જંતરીબેન અને તેમના ખોળામાંથી પુત્ર રાજવીર રોડ પર ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં દોઢ વર્ષના બાળક રાજવીરને માથા તથા કપાળમાં ગંભીર ઈજા થતાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જ્યારે જેતરીબેનને હોઠ તથા મ્હોંના ભાગે ગંભીર ઈજા થઈ છે. શેરસિંગે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રીક્ષાચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial