Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુકાનના ઓટલા પરથી બેભાન મળેલા વૃદ્ધનું મોતઃ
જામનગર તા. ૨૯: ખંભાળિયાના ટીંબડી ગામમાં કૂવામાં ઉતરી ગારો કાઢી રહેલા એક યુવાન પર મોત બનીને પથ્થર ત્રાટક્યો હતો. જ્યારે શ્વાસની બીમારીના કારણે ચૌદ વર્ષની તરૂણીનું લાલપરડા ગામમાં મૃત્યુ નિપજ્યું હતું. ખંભાળિયામાં એક દુકાનના ઓટલા પરથી અજાણ્યા વૃદ્ધ મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા અને સામોર ગામમાં એક પ્રૌઢનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું.
ખંભાળિયા તાલુકાના ટીંબડી ગામમાં આવેલા મહાવીરસિંહ સોઢા નામના ખેડૂતના ખેતરમાં શુક્રવારે કૂવામાંથી ગાર કાઢવાનું કામ કરાઈ રહ્યું હતું. ત્યારે લખમણભાઈ મકવાણા (ઉ.વ.૪૦) નામના યુવાન તેમાં કામ કરી રહ્યા હતા.
આ યુવાન કૂવામાં ઉતરી ગારો કાઢતા હતા ત્યારે ભેખડમાંથી ફસકેલો પથ્થર આ યુવાનના માથા પર ત્રાટકતા માથામાં ગંભીર ઈજા સાથે બેશુદ્ધ બની ગયેલા લખમણભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન રવિવારે તેઓનું મૃત્યુ નિપજયું છે. પૂનમબેન લક્ષ્મીસીંગ ચૌહાણે પોલીસને જાણ કરી છે.
કલ્યાણપુર તાલુકાના લાલપરડા ગામના પાટીયા પાસે રહેતા મૂળ રાજસ્થાનના ઉદયપુરના મનાવડી તાલુકાના વતની દેવીલાલ નવા ગામેતી ગામના શ્રમિકના ચૌદ વર્ષના પુત્રી નિશાબેનને આઠેક મહિનાથી શ્વાસની બીમારી વળગી હતી. આ તરૂણીનું શુક્રવારે સવારે મૃત્યુ નિપજ્યું છે. પિતા દેવીલાલે પોલીસને જાણ કરી છે.
ખંભાળિયા શહેરના જડેશ્વર રોડ પર આવેલી એક દુકાનના ઓટલા પરથી શનિવારે સવારે પાંસઠેક વર્ષની વયના એક અજાણ્યા વૃદ્ધ બેભાન જેવી હાલતમાં મળી આવ્યા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યાનું વિનયભાઈ દુર્ગલજીભાઈ જેઠવાએ પોલીસમાં જાહેર કર્યું છે.
ખંભાળિયા તાલુકાના સામોર ગામમાં રહેતા કચરાભાઈ ડોસાભાઈ પીંડારીયા નામના પ્રૌઢનું ગઈકાલે કોઈ કારણથી મૃત્યુ થયું છે. તેમના ભાઈ ભીખાભાઈ પીંડારીયાએ પોલીસને વાકેફ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial