Advertisement
Author: નોબત સમાચાર

સ્વસ્તિક સોસાયટી પાસેથી બેશુદ્ધ હાલતમાં મળી આવેલા વૃદ્ધનું મૃત્યુઃ ઓળખ માટે તપાસ

સામાજિક કાર્યકરે પોલીસને વાકેફ કરીઃ

જામનગર તા.ર૧ ઃ જામનગરની જી.જી. હોસ્પિટલ સામેના સ્વસ્તિક સોસાયટી વાળા રોડ પરથી ગઈકાલે બપોરે એક અજાણ્યા વૃદ્ધ બેભાન હાલતમાં મળ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃત્યુનું કારણ જાણવા પી.એમ. કરાવવા ઉપરાંત મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે.

જામનગરમાં પી.એન. માર્ગ પર જી.જી. હોસ્પિટલ સામેથી સ્વસ્વિક સોસાયટી તરફ જવાના માર્ગ પર ગઈકાલે બપોરે એક અજાણ્યા વૃદ્ધ બેશુદ્ધ જેવી હાલતમાં પડ્યા હોવાની કોઈએ સામાજિક કાર્યકર હિતેશગીરી ગોસાઈ તથા વિક્રમસિંહ ઝાલાને જાણ કરી હતી.

ત્યાં દોડી ગયેલા આ વ્યક્તિઓએ ૧૦૮માં અજાણ્યા વૃદ્ધને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં આ વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. અંદાજે પાંસઠેક વર્ષની વયના લાગતા આ વૃદ્ધના મૃત્યુનું કારણ જાણવા પીએસઆઈ પી.એન. પટેલે મૃતદેહને પી.એમ.માં ખસેડ્યો છે અને મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૃ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh