Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરમાં વીસ લાખની લૂંટમાં આરોપીઓની શોધ જારી

બે આરોપીના આજે રિમાન્ડ પૂર્ણઃ

જામનગર તા.૨૧ ઃ જામજોધપુરના માર્કેટીંગ યાર્ડ પાસે થયેલી રૃા.ર૦ લાખની લૂંટના ગુન્હાના બે આરોપી ઝડપાયા પછી ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાયા હતા. તે આરોપીના આજે રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે. આ ગુન્હામાં હજુ બે આરોપી ફરાર છે.

જામજોધ૫ુરના માર્કેટીંગ યાર્ડમાં યમુના ટ્રેડર્સ નામની પેઢી ચલાવતા ભૌતિકભાઈ રામોલીયા નામના વેપારી ગયા મંગળવારે પોતાના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા માટે ગયા પછી રૃા.ર૦ લાખની રોકડ સાથે પરત આવતા હતા ત્યારે તે રકમની થેલીની લૂંટ ચલાવાઈ હતી.

આ ગુન્હામાં એલસીબીએ મૂળ યુપીના અને હાલમાં સુરતમાં રહેતા દસ્તગીર કુરેશી તથા તેના સાગરિત ધવલ અશોકભાઈ સીણોજીયાની ધરપકડ કરી હતી. બંને આરોપીને અદાલતમાં રજૂ કરાતા આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. તેની મુદ્દત આજે પૂર્ણ થઈ રહી છે. આ ગુન્હામાં હજુ બે આરોપીની શોધ યથાવત છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh