Advertisement
Author: નોબત સમાચાર

હુમલા કેસમાં થયો છૂટકારો

બે શખ્સ સામે હતો ગુન્હોઃ

જામનગર તા.૨૧ ઃ જામનગરની શાક માર્કેટ પાસે હુમલો કરવા અંગે બે શખ્સ સામે ગુન્હો નોંધાયા પછી બંને આરોપીનો અદાલતે છૂટકારો કર્યાે છે.

જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં ગઈ તા.૨૪-૪-૨૨ના દિને શાકનું વાહન ખાલી કરતા અમીન ઉમર ખુરેશી તથા આમદ જુસબ ખીરયાણી નામના મતવા ગામના બે યુવક સાથે ત્યાં જ રહેતા ભવનેશ દિલીપભાઈ રાઠોડ નામના ભોઈ શખ્સે બોલાચાલી કર્યા પછી જીમેશ દિલીપભાઈ રાઠોડને બોલાવી લીધો હતો.

ત્યારપછી બંને શખ્સે છરી, ઢીકાપાટુ વડે હુમલો કરી ગાળો ભાંડ્યાની પોલીસમાં અમીનભાઈએ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે બંને આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ સંજય દાઉદીયા, ભાવિકા જોષી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh