Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૩૧ મી માર્ચના શુક્રવારે
જામનગર તા. ર૧ઃ જામનગર નજીક આવેલા હાપાના જલારામ મંદિરના શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા હોલમાં આગામી તા. ૩૧-૩-ર૦ર૩ (શુક્રવાર) ના સવારે ૯ઃ૩૦ થી ૧ર-૩૦ વાગ્યા દરમિયાન વિનામૂલ્યે શ્રી સદ્ગુરુ સુપર મેગા નેત્રયજ્ઞ-નેત્રમણિનું આયોજન શ્રી રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ (આંખની હોસ્પિટલ) તરફથી કરવામાં આવ્યું છે.
આ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી જરૃરિયાતવાળા મોતિયાના દર્દીને શ્રી રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલની બસમાં લઈ જઈ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું શ્રેષ્ઠ સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણિ) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. ઓપરેશન થયા પછી દર્દીને કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ તરફથી કરવામાં આવશે. દર્દીઓને રહેવા-જમવા, શુદ્ધ ઘીનો શીરો, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, દવા-ટીપાં તથા ધાબળા વિગેરે નિઃશુલ્ક અપાશે.
આ કેમ્પના લાભાર્થીઓએ આધાર કાર્ડ ફરજિયાત સાથે લાવવનું રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, દરેક મહિનાના છેલ્લા શુક્રવારના આ પ્રકારનો કેમ્પ નિર્ધારિત કરાયો છે. વધુ માહિતી માટે જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ દત્તાણી, ભાવેશભાઈ દત્તાણી (મો. ૯૪ર૭ર-૭પ૮૮૮) અથવા અનિલભાઈ ચાવડા (મો. ૯૧૩૭ર ૧૩રર૦) નો સંપર્ક સાધવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag