Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભીક્ષુકો-ગરીબોને આયુષ્માન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ વિગેરે કાઢી અપાશે
ખંભાળીયા તા. ર૧ઃ આગામી તા. ર૩-૩-ર૦ર૩ ના ખંભાળીયાના ધારાસભ્ય તથા રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાના જન્મદિને તેમની ઉપસ્થિતિમાં ખંભાળીયા નગરપાલિકા દ્વારા અનોખી ઉજવણીનું આયોજન કરાયું છે.
ખંભાળીયા પાલિકાએ ત્રણેક કરોડના ખર્ચે બનાવેલા રેનબસેરામાં જરૃરતમંદોનો ગૃહ પ્રવેશ થશે. શહેરમાં જલારામ મંદિર, પાળેશ્વર મંદિર, કલ્યાણજીરાયજી મંદિર, હર્ષદ મંદિર, સ્ટેશન રોડ વિગેરે વિસ્તારમાં રહેતા ભીક્ષુકોને અહીં વિનામૂલ્યે રહેવા તથા ભોજન તથા નાહવા-ધોવા તથા આરોગ્ય વિષયક સુવિધા રોજ પૂરી પાડવામાં આવશે. આ દિવસે સેવાસેતુ કાર્યક્રમની જેમ ભીક્ષુકો તથા ગરીબો માટે આધારકાર્ડ, બેંક ખાતું તથા રાજય સરકારની આયુષ્માન કાર્ડ યોજના તથા ઈશ્રમ કાર્ડ વિગેરે યોજનાના કાર્ડ આપવામાં આવશે.
સવારે યજ્ઞનું આયોજન પણ મૂળુભાઈ બેરાના જન્મદિને કરાયું છે. તેમના દીર્ઘાયુ તથા તંદુરસ્તી માટેના આ આયોજનની સાથે ગરીબો તથા સ્લમ વિસ્તારના લોકો માટે સમૂહ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉપરાંત તમામ ભીક્ષુકો, ગરીબોને માટે તબીબી ચકાસણી દવા, સારવારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પાલિકાની સમગ્ર ટીમ તથા પાલિકા સ્ટાફ તથા ભાજપ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના આગેવાનો પણ જોડાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag