Advertisement
Author: નોબત સમાચાર

નગરમાં મુખ્યમંત્રી આવાસ યોજના સહિત બહુમાળી બિલ્ડીંગો અને હોસ્પિટલોમાં યોજાયા માર્ગદર્શન કેમ્પ

ફાયર સેફટી અંગેની સઘન તાલીમ માટે

જામનગર તા. ર૧ઃ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા ફાયર સેફટીના સાધનોનું ફીટીંગ કરવામાં આવ્યું હોય તે તમામ સ્થળો પર ફાયર શાખાની જુદી જુદી ટીમ દ્વારા ફાયર સેફટીના સાધનો અંગે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના નાયબ કમિશનર ભાવેશભાઈ જાની તથા જામનગર ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈના માર્ગદર્શન મુજબ શહેર વિવિધ કોમર્શિયલ કોમ્પ્લેકસ તેમજ હોટલ અને હોસ્પિટલમાં જયાં ફાયર સેફટીના સાધનોનું ફીટીંગ કરવામાં આવ્યું હોય સ્થળો પર ફાયર સેફટી માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ગત સપ્તાહ દરમિયાન શહેરના મુખ્યમંત્રી આવાસ યોજના બિલ્ડીંગમાં તેમજ વિવિધ ખાનગી હોસ્પિટલો અને હોટલમાં તેમજ બહુમાળી બિલ્ડીંગોમાં ફાયર શાખાના સ્ટાફ દ્વારા અકસ્માતના સમયે સ્વબચાવ કેવી રીતે કરવો તે સહિતની તાલીમ આપવામાં આવી હતી. જામનગરના સમગ્ર વિસ્તારોમાં જુદી જુદી ટીમ દ્વારા ફાયર સેફટીની સમગ્ર કામગીરી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સીએસ પાંડિયનની રાહબરી હેઠળ સ્ટેશન ઓફિસર સજુભા જાડેજા, જાસ્મીન ભેંસદડિયા, ઉપેન્દ્ર સુમ્બળ, સંદીપ પંડ્યા, ઉમેશ ગામેતી, જેંતીલાલ ડામોર, રાકેશ ગોકાણી, કામિલ મહેતા સહિતના ફાયર શાખાના સ્ટાફે કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh