Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયા તા. ર૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે મેઘરાજા જાણે રીસામણે હોય તેમ જુન અને જુલાઈ માસ વીતી જશે છતાં એક ઈંચ પણ વરસાદ પડ્યો ન હતો તથા જિલ્લામાં માત્ર બે-ચાર ટકા ખેડૂતો જ વાવણી કરી શક્યા હતાં.
તાજેતરમાં ખંભાલીયા, ભાણવડ તથા કલ્યાણપુર પંથકમાં એકથી બે ઈંચ અને ક્યાંક અઢી ઈંચ જેવો વરસાદ પડતા ખેડૂતો દ્વારા દોઢ માસ મોડી, પણ વાવણી કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, દ્વારકા પંથકમાં હજુ પણ વાવણીલાયક વરસાદ ના પડતા ત્યાં હજુ જેમની પાસે પુરતું પાણી છે, તે સિવાયના ખેડૂતો દ્વારા વાવણી થઈ નથી, જ્યારે ખંભાળીયા, ભાણવડ તથા કલ્યાણપુર પંથકના મોટાભાગના ખેડૂતો દ્વારા વરસાદ પછી ઉઘાડ નીકળતા વાવણી કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તેવી આશા છે કે, હવે વરસાદી માહોલ થયો છે તો ભગવાન વરસાદ મોકલશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial