Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા અને કલ્યાણપુરની આઈ.ટી.આઈ.માં કૌશલ્ય દિક્ષાંત સમારોહઃ તાલીમાર્થીનું સન્માન

ખંભાળિયા તા. ૧૮ઃ ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં દ્વિતીય કૌશલ્ય દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારા અને જામકલ્યાણપુરની આઈ.ટી.આઈ.માં પણ કૌશલ્ય દિક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો.

આઈ.ટી.આઈ.માંથી એક વર્ષ અને બે વર્ષનો કોર્ષ કરીને પાસ થયેલા તાલીમાર્થી ભાઈઓ અને બહેનોને સર્ટીફિકેટ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આઈ.ટી.આઈ. દ્વારકામાં આશરે રપ૦ તાલીમાર્થીઓને સર્ટીફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આઈ.ટી.આઈ. જામ કલ્યાણપુરમાં આશરે ૧૪૦ લાભાર્થીઓને સર્ટીફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આઈ.ટી.આઈ. દ્વારકાના આચાર્ય એમ.એમ. ભોચિયા, ફોરમેન દેવાંગ મકવાણા અને સ્ટાફના સહયોગથી આ પ્રોગ્રામને સફળ બનાવવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh