Advertisement
Author: નોબત સમાચાર

અન્નપૂર્ણા ચોકડી પાસે વહેલી સવારે અકસ્માતઃ ટ્રકે ઠોકર મારતા ચગદાઈ જવાથી વૃદ્ધાનું મૃત્યુ

ધુંવાવના વૃદ્ધા ચા પીવા જતાં હતા ત્યારે ટ્રકે કચડી નાખ્યાઃ

જામનગર તા. ૧૮ઃ જામનગરની નૂરી ચોકડીથી મહાપ્રભુજીની બેઠક વચ્ચેના રોડ પર આજે સવારે ચા પીવા જતાં એક વૃદ્ધાને પુરપાટ દોડી આવેલા ટ્રકે હડફેટે લેતાં આ વૃદ્ધાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે.

જામનગરના નૂરી ચોકડી વિસ્તારથી મહાપ્રભુજીની બેઠક તરફ જવાના રોડ પરથી આજે સવારે હુરબાઈ જુસબભાઈ રાઠોડ નામના પાંસઠ વર્ષના વૃદ્ધા ચાલીને જતા હતા ત્યારે તેઓને પુરપાટ ઝડપે ધસી આવેલા જીજે-૧૦-ટીવી ૫૪૯૬ નંબરના ટ્રકે હડફેટે લીધા હતા.

આ ટ્રકની ઠોકરે ચઢી રોડ પર પછડાયેલા હુરબાઈ પરથી ટ્રકનું તોતિંગ પૈંડુ ફરી વળ્યું હતું. ચગદાઈ જવાથી આ મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. કોઈએ ૧૦૮ને ફોન કરતા દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે આ મહિલાને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

બનાવની પોલીસને જાણ થતાં સિટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મહિલા ધુંવાવના હાઉસીંગ બોર્ડમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ આજે સવારે આઠેક વાગ્યે નૂરી ચોકડીથી ચા પીવા માટે ચાલીને જતા હતા ત્યારે ટ્રકે હડફેટે લીધા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh