Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. રરના નિઃશુલ્ક કેમ્પ
જામનગર તા. ૧૮ઃ જામનગરના વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી અને શક્તિ દળ સેવા ટ્રસ્ટ-જામનગરના સેક્રેટરી ગીતાબેન સાવલા દ્વારા નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ તા. રર-૧૦ ને રવિવારે સવારે ૯ થી ૧ર શ્રી મુખ્ય સ્વામિનારાયણ મંદિર, બેડી ગેઈટ, ખાદી ભંડાર સામે, જામનગરમાં યોજવામાં આવ્યો છે.
આ કેમ્પમાં ડો. ભાવીન પંડ્યા દ્વારા સર્વરોગ નિદાન અને સારવાર સાથે દવા નિઃશુલ્ક આપવામાં આવશે. ૬ મહિનાથી ૧પ વર્ષ સુધીના બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશે. ડો. કશ્યપ કાનાણી (બાળરોગ) દર્દીને તપાસી સારવાર આપશે. ડો. જયસુખ મકવાણા ડિવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટની ટીમ દાંતની તપાસ કરી હલતા દાંત જલંધર પદ્ધતિથી દુઃખાવા વગર કાઢી આપશે. કાળા દાંત સફેદ કરવા દવા આપશે અને દાંતના ચોકઠા રાહત ભાવે બનાવી ફીટ કરી આપશે તેમજ પોપટભાઈ હડિયલ દ્વારા રોગની તપાસ કરી એક્યુપ્રેશરની સારવાર ફ્રી કરી આપશે. સાથે ડો. જતિન અજુડીયા (સ્ત્રી રોગ નિષ્ણાત) સાથે નાઝમીન મીરઝા મહિલા દર્દીને તપાસ સારવાર આપશે. આ કેમ્પનો લાભ લેવા વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial