Advertisement
Author: નોબત સમાચાર

પ્રસૂતિ પછી ઓક્સિજન ઘટી જતાં મહિલાનું સારવાર દરમિયાન થયું મૃત્યુ

કેન્સરની બીમારીથી પીડાતા યુવાનનું મૃત્યુઃ

જામનગર તા. ૧૮ઃ જામનગરના એક પરિણીતાને ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવાયા પછી ઓક્સિજન ઘટી જતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓનું મૃત્યુ થયું છે. કેન્સરની બીમારીથી પીડાતા યુવાનની તબીયત લથડ્યા પછી તેઓનું પણ મૃત્યુ થયાનું પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ પાર્કની શેરી નં.૭માં રહેતા પૂજાબેન કૌશિકભાઈ વસોયા (ઉ.વ.૨૧) નામના મહિલાને પ્રસૂતિ માટે જાનકી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રસૂતિ વેળાએ આ મહિલાને ઓક્સિજન ઘટવા લાગતા વધુ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયાનું પતિ કૌશિકભાઈ બકુલભાઈ વસોયાએ પોલીસમાં જાહેર કર્યું છે.

જામનગરના રાંદલનગર વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્રસિંહ બટુકસિંહ ઝાલા (ઉ.વ.૪૬) નામના યુવાનને બારેક વર્ષ પહેલા મ્હોંનું કેન્સર થયા પછી સારવાર અપાવવામાં આવતી હતી. તે દરમિયાન રવિવારે લોહીની ઉલ્ટી થતાં અને તબીયત લથડી જતાં આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ થયાનું મહાવીરસિંહ બટુકસિંહ ઝાલાએ પોલીસમાં જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh